News of Wednesday, 13th November 2019
અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ દુકાનદાર પર ગોળીબારી કરતા અરેરાટી: સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
નવી દિલ્હી: વાદીમાં લોકો દ્વારા બંધના નિર્ણયને સંપૂર્ણ રીતે નકારતા આતંકવાદીઓએ આજ રોજ દક્ષિણ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં એક દુકાનદારની ગોળીમારીને હત્યા કરી દીધી છે આ ઘટના પછી આતંકી ફરાર થવામાં સફળ રહ્યો હતો હાલમાં સુરક્ષાબળોએ વિસ્તારમાં કબ્જો મેળવીને આતંકવાદીની ધરપકડ કરવા માટે તપાસ અભિયાન હાથ ધરી દીધું છે.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્વચાલિત હથિયારોથી લેસ આતંકીઓનું એક દળ આજ બપોરના રોજ ત્રાલની બજારમાં ઘુસી આવ્યું હતું આતંકવાદીઓએ ખુલ્લી દુકાનમાં એક દુકાનદારને નિશાન બનાવીને તેમના પર ગોળીબારી શરૂ કરીને આ હત્યાને અંજામ આપ્યો હતો.
(5:55 pm IST)