દેશ-વિદેશ
News of Thursday, 13th September 2018

દક્ષિણ કોરિયાના સિયોલમાં એવું સેન્ટર લોકો જ્યાં મૃત્યુ પહેલા જ કરી નાખે છે પોતાના અંતિમ સંસ્કાર

આપ જાણતા હશો કે, વ્યક્તિના મૃત્યુ બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, દક્ષિણ કોરિયાના સિયોલમાં એક એવું સેન્ટર છે જ્યા લોકો પોતાના મરણ પહેલા જ અંતિમ સંસ્કાર કરાવે છે. આમ કરવા પાછળ અહીંના લોકોની માન્યતા છે કે, આવું કરવાથી જિંદગીને સકારાત્મક રીતે જોવાની ધારણા જાગે છે. તેમજ મોતનો ભય રહેતો નથી.

(8:28 pm IST)