ઈસ્તંબુલના હાગિયા સોફિયા મ્યુઝીયમને મસ્જિદમાં ફેરવવાના નિર્ણયમાં થઇ રહી છે ટીકાઓ
નવી દિલ્હી: ઈસ્તંબુલના હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાના નિર્ણયની અનેક દેશોમાં ટીકા થઈ રહી છે ત્યારે પોપ ફ્રાન્સિસે પણ તુર્કી સરકારના આ નિર્ણય મામલે નિરાશા વ્યક્ત કરી છે. પોપના કહેવા પ્રમાણે તેઓ સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાના નિર્ણયને લઈ ખૂબ જ દુખી છે. સેન્ટર પીટર્સ સ્કેવર ખાતે સાપ્તાહિક પ્રાર્થના સભા દરમિયાન પોપે જણાવ્યું કે, 'મારૂં ધ્યાન ઈસ્તંબુલ તરફ જઈ રહ્યું છે. સેન્ટ સોફિયા અંગે વિચારીને મને ખૂબ દુખ થાય છે.'
હકીકતે આ મ્યુઝિયમ મૂળરૂપથી એક ચર્ચ હતું અને ઉસ્માનિયા સલ્તનત દરમિયાન આ ચર્ચને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. ત્યાર બાદ 1930ના દશકામાં તુર્કીમાં મસ્જિદને ફરીથી મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી હતી. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગનના કહેવા પ્રમાણે કોર્ટના ચુકાદા બાદ આ પ્રાચીન સ્મારકને ફરી એક વખત મસ્જિદમાં ફેરવી દેવામાં આવ્યું છે અને 24 જુલાઈના રોજ તે સ્થળે પહેલી નમાજ પઢવામાં આવશે.