મુલતાની માટીથી લાવો તમારા ચહેરા પર ગ્લો
. ચહેરા માટે મુલતાની માટીનો પ્રયોગ કરવો શ્રેષ્ટ માનવામં આવે છે. આનું આયુર્વેદમાં ઘણું મહત્વ છે. આ નાની મોટી બધી દુકાનોમાં કે પાર્લરમાં સરળતાથી અવેઈલેબલ હોય છે. ઘણા લોકો માથાનો ખોડો દુર કરવા માટે આનાથી માથું ધોતા હોય છે.
. આના ઘણા ફાયદાઓ છે જે તમને ખબર નથી. મોટાભાગે મુલતાની માટીનો શબ્દ પ્રયોગ કરવામાં આવે ત્યારે લોકોને એમ જ થાય છે આને ફેસ પર લગાવવાથી તે ચમકદાર બને છે. પણ અન્ય લાભથી લોકો અજાણ્યા છે, જે અમે તમને જણાવશું.
. મુલતાની માટીનો ભુક્કો કરીને તેમાં હળદર મેળવી ફેસ પર લગાવવાથી ખીલ દુર થાય છે. આ સિવાય મુલતાની માટીમાં મેગ્રેશિયમ કલોરાઈડ હોય છે., જે ત્વચાની કમીઓને પૂરી કરે છે.
. જો તમારી સ્કીન ઓઈલી હોય તો આની પેસ્ટને તમે ચહેરા પર લગાવી શકો છો.
. આમાં એન્ટીસેપ્ટિક ગુણ રહેલ છે જે ત્વચા સબંધિત બીમારીઓમાં લાગવામાં મદદ કરે છે. કયારેક તડકામાં વધારે રહેવાથી કે પોલ્યશનને કારણે ત્વચા કાળી થઈને તેમાં દાગ ધબ્બા પડે છે. આવા સમયે મુલતાની માટીમાં દહિં નાખીને આને ફેસ પર લગાવવું. આનાથી તમને ઘણો ફાયદો થશે.