દેશ-વિદેશ
News of Monday, 13th January 2020

શું તમને કમજોરીને કારણે ચક્કર આવે છે ? તો અપનાવો આ ટીપ્સ

અચાનક આંખોમાં અંધારા આવવા, માથું ફરવું, આખી ધરતી ફરતી હોય તેવું લાગે તેને સામાન્ય ભાષામાં ચક્કર કહેવાય છે. આને અંગ્રેજીમાં 'વર્ટીગા' કહેવાય છે. આના કારણે આંખો સામે અંધકાર છવાઈ જાય છે.

જ્યારે તમે બીમાર હોવ, મગજ કામ ન કરતું હોય, ડીપ્રેશનમાં હોવ, મગજમાં લોહિની માત્રા ઓછી હોવી વગેરે કારણોને લીધે ચક્કર આવે છે.

. ૨ લવિંગને ૨ કપ પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી ચક્કર આવવાનું બંધ થાય છે.

. નારિયેળનું પાણી રોજ પીવાથી ચક્કર બંધ થાય છે.

. અનુલોમ વિલોમ પ્રાણાયામથી ચક્કર આવવાની બીમારીથી હમેશા માટે છુટકારો મળી શકે છે.

. જ્યારે ચક્કર આવતા હોય ત્યારે બરફ સમાન ઠંડા પાણીના ત્રણ ગ્લાસ પીવા આનાથી પણ આ સમસ્યા ટળશે.

. સુકા આંબળાને પીસી લો. હવે ૧૦ ગ્રામ આંબળાનું ચૂરણ અને ૧૦ ગ્રામ ધાણાજીરૂના પાવડરને એક ગ્લાસ પાણીમાં નાખીને આખી રાત રહેવા દો. સવારે આને સાંજે ચાળીને પીવું

. શિયાળાની સિઝનમાં ધી અને ગોળનું સેવન વધારે કરવું. આનાથી તમને ચક્કર નહિં.

. ડુંગળીના રસ સુંઘવાથી ચક્કર આવતા બંધ થાય છે.

. ચા કે કોફીને ઓછી પીવી. આના વધારે સેવનથી પણ આ સમસ્યા થાય છે.

. નવશેકા પાણીમાં અડધું લીંબુ અને ચપટી ખાવાનો સોડા નાખી પીવાથી પણ ચક્કર બંધ થાય છે.

. ખાંડ અને સુકા ધાણા ને બબ્બે ચમચી મેળવી ચાવવાથી પણ આ સમસ્યા ટળે છે.

(9:41 am IST)