ક્રાઇસિસમાં સ્ત્રીઓ વધારે જીવે
હિન્દુ જીવનશૈલીમાં મહિલાને શકિતનું પ્રતીક માનવામાં આવે છે અને હવે સાયન્ટિફિકલી પુરવાઇ થઇ રહ્યું છે કે જીવનમાં જયારે કટોકટી આવે ત્યારે પુરૂષોનો સરખામણીમાં મહિલાઓ એવો વધારે સારી રીતે સામનો કરી શકે છે અને જીવી પણ શકે છે. છેલ્લાં ૨૫૦ વર્ષમાં આવેલા દુષ્કાળ, કુદરતી આફતો અને રોગચાળા વખતે પુરૂષો કરતાં મહિલાઓએ એનો સારી રીતે સામનો કર્યો હતો અને પુરૂષો કરતાં વધારે જીવવામાં તે સફળ રહી હતી એમ સધર્ન ડેન્માર્ક યુનિવર્સિટી અને અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે. યુક્રેનમાં ૧૯૩૩માં દુકાળ પડ્યો ત્યારે જન્મેલા બાળકોમાં ૧૦.૮૫ ટકા છોકરીઓ જીવતી રહી હતી, પણ છોકરાઓનું આ પ્રમાણ માત્ર ૭.૩ ટકા હતુ. કુદરતી આફતો અને રોગચાળામાં પણ મહિલાઓ વધારે જીવે છે એ પણ આ અભ્યાસમાં પુરવાર થયું છે.