દરરોજ સવારે ખાલી પેટ ૨ ગ્લાસ પાણી પીવાથી...
શરીરને જીવંત અને સ્વસ્થ રાખવા માટે પાણી આવશ્યક છે. શરીરમાં પાણીની ખામી સર્જાતા સ્વાસ્થ્ય સંબંધી કેટલીય બીમારીઓનો સામનો કરવો પડે છે. ડૉકટર પણ દરરોજ ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. ઉપરાંત દરરોજ સવારે ખાલી પેટે ૨ ગ્લાસ પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક બીમારીઓથી મુકિત મળે છે.
ઝેેરીલા ટોકસીન : સવારે ખાલી પેટે ૨ ગ્લાસ પાણી પીવાથી શરીરમાં રહેલ ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે અને રોગોથી રક્ષણ મળે છે.
તનાવ : ખાલી પેટે પાણી પીવાથી કરવાથી મગજને ઓકિસજન સરળતાથી મળે છે. જેનાથી તનાવ દૂર થાય છે અને મગજ સક્રિય રહે છે.
વજન : દરરોજ સવારે ૨ ગ્લાસ પાણી પીવાથી શરીરમાં જમા થયેલ વધારાની ચરબી ઓછી થઈ જાય છે.
પ્રાકૃતિક નિખાર : ખાલી પેટે પાણી પીવાથી કોશિકાઓને સરળતાથી ઓકિસજન મળી રહે છે. જેના કારણે ત્વચા અંદરથી સાફ થવા લાગે છે.