14 દિવસથી ચાલી રહેલ આર્મેનિયા-અજરબૈજનના યુદ્ધમાં આવ્યો નવો વળાંક
નવી દિલ્હી: આર્મેનિયા અને અજરબૈઝાન વચ્ચે 27 સપ્ટેમ્બરથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે રશિયાએ કોશિશ તેજ કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે રશિયાના હસ્તક્ષેપને કારણે આર્મેનિયા અને અજરબૈઝાન વચ્ચે 14 દિવસથી ચાલતા યુદ્ધમાં શાંતિ માટે સહમતિ બની છે. પુતિને એમ પણ કહ્યુ કે યુદ્ધગ્રસ્ત વિસ્તાર નાગોર્ના કારાબાખમાં શાંતિ વ્યવસ્થા બની રહે તે માટે રશિયન સૈન્યને તૈનાત કરી દેવામાં આવ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે,અમને આશા છે કે, આ સમાધાનને કારણે નાગોર્ના કારાબાખ વિસ્તારમાં લાંબા સમય સુધી સ્થાયી અને પૂર્ણ સંઘર્ષ વિરામની આવશ્યક શરતો સ્થાપિત થઇ શકશે.આર્માનિયા અને અજરબૈઝાને પણ આ શાંતિ સમજોતાને સમર્થન આપ્યું છે.એના લીધે એવું મનાઇ રહ્યું છે કે,14 દિવસથી ચાલતી લડાઇનો અંત હવે નજીક છે.