દેશ-વિદેશ
News of Monday, 11th June 2018

અંતે સાબિત થયું સ્વીટ ખાવાથી ડાયાબિટીઝ થાય તેવું નથી

ટાઇપ-૨ પ્રકારના ડાયાબિટીઝનું કારણ છે ઓબેસિટીઃ જંક ફૂડ અને બેવરેજીસની સુગર કરે છે નુકસાન

નવી દિલ્હી તા. ૧૧ : જેમને ખૂબ મિષ્ટાન્ન ખાવાની આદત હોય તેમને ઘણીવાર કેટલાક લોકો ફ્રી સલાહ આપવા લાગે છે. 'આટલું બધુ ગળ્યુ ના ખાશો ડાયાબિટિઝ થઈ જશે.' હા, જો તને પહલાથી જ ડાયાબિટિઝ હોય તો મીઠા કે ગળ્યા પદાર્થોથી દૂર રહેવુ જોઈએ તે સાચુ છે પણ શું ડાયાબિટિઝ ન હોય અને તમે વધુ મિષ્ટાન્ન ખાવ તો ડાયાબિટિઝ થઈ જાય તેવું હોય? તો જાણી લો આજે સાચી હકીકત

સમાન્ય રીતે દરેક શાકભાજી અને ફ્રુટમાં સુગર એટલે કે ખાંડનું પ્રમાણ હોય છે. આપણે જયારે પણ આ ફૂડ ખાઈએ છીએ અથવા તેને આપણી કોઈ ફૂડ આઇટમમાં એડ કરીએ છીએ ત્યારે આપણે તેને ડાઇરેકટ અથવા ઇનડાઇરેકટ ખાઈએ છીએ. જયારે આપણી ચા અને બીજા પીણાંમાં જે સુગર આપણે એડ કરીએ છીએ તેને એડેડ સુગર કહેવાય છે. જયારે એક ત્રીજા પ્રકારની સુગર હોય છે જેને કાસ્ટર સુગર કહેવાય છે આ સુગર રેડી ટુ ઈટ જેવા નાસ્તા, કેક અને સોસમાં બનાવવામાં ઉપયોગ થાય છે.

ડાયાબિટિઝ બે પ્રકારના હોય છે. ટાઈપ-૧ અને ટાઇપ-૨, આ બંને ડાયાબિટિઝને સહેલી ભાષામાં સમજીએ તો ટાઇપ-૧ પ્રકારના ડાયાબિટિઝમાં આપણા શરીરની રોગપ્રતિકારક સીસસ્ટમ જ ઇન્સ્યૂલીન પેદા કરતા શરીરના કોષો પર હુમલો કરી તેનો નાશ કરે છે. જયારે ટાઇપ-૨માં આપણા પેન્ક્રિઆઝ દ્વારા પેદા કરવામાં આવેલ ઇન્સ્યુલીનને શરીર ગ્રહણ કરી શકતું નથી. જોકે આ બંનેમાંથી એક પણ પ્રકાર એવો નથી કે જે સુગર ખાવાથી થાય છે.

જોકે ટાઇપ-૨ ડાયાબિટિઝને તમે ઓબેસિટી સાથે લિંક કરી શકો છો. જે તમારી આરામદાયક લાઇફસ્ટાઇલ, જંક ફૂડ અને કોલ્ડડ્રિંકસ પીવાના કારણે થાય છે. તેથી તમે ટાઇપ-૨ પ્રકારના ડાયાબિટિઝને ઇન્ડાઈરેકટલી સુગર સાથે જોડી શકો છો. કેમ કે જંક ફૂડ અને ડ્રિંકસમાં પણ સુગર વધુ માત્રામાં રહેલી છે જે તમને ઓબેસિટી તરફ દોરી જાય છે.

તો એટલુ તો ખરુ જ કે વધુ પડતું જંક ફૂડ અને બેવરેજીસ તમારામાં ટાઇપ-૨નું રિસ્ક વધારી શકે છે. જોકે ટાઇપ-૨ પ્રકારનું ડાયાબિટિઝ ખૂબ જ કોમ્પ્લેકસ આરોગ્ય સમસ્યા છે અને તેના માટે ફકત સુગર એકલી જ જવાબદાર નથી.

જો તને ડાયાબિટિઝ હોય તો તેનો મતલબ એ નથી કે તમારે મિષ્ટાન્ન ખાવાનું સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ. જો તમારા હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયેટમાં તમે થોડી માત્રામાં ખાંડ કે સુગરને ભેળવો તો તેનાથી કોઈ પ્રોબ્લેમ થવાની શકયતા નથી. હકીકતમાં કેટલાક કિસ્સામાં તો કાસ ગ્લુકોઝ ટેબ્લેટ આપવામા આવે છે. જોકે આવું ત્યારે બને છે જયારે તમે યોગ્ય ડાયેટ પ્લાન ન કરતા હોવ અને તેના કારણે તમારા લોહીમાં પૂરતી માત્રામાં સુગર ન રહે.

જોકે ખૂબ જ વધારે મિષ્ટાન્ન ખાવાથી ઓબેસિટીનો પ્રોબ્લેમ થવાની પૂરી શકયતા છે એ સાથે જ બીજા પણ અનેક રોગ થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે એક વયસ્ક વ્યકિત કે જેને કોઈ બીમારી નથઈ અને તેનો BMI નોર્મલ છે તેણે એક દિવસની ૬ ટી સ્પુન્સ જેટલી સુગર પોતાના ખોરાકમાં લેવી જોઈએ.(૨૧.૫)

(10:18 am IST)