દેશ-વિદેશ
News of Tuesday, 11th February 2020

ઇરાકમાં ગયા મહિને અમેરિકી જગ્યા પર કરવામાં આવેલ મિસાઈલ હુમલામાં 100થી વધારે સૈનિકો માનસિક આઘાતનો શિકાર બન્યા

નવી દિલ્હી: ઇરાકમાં ગયા મહિને અમેરિકી જગ્યા પર ઈરાની મિસાઇલથી કરવામાં આવેલ હુમલામાં 100થી વધારે અમેરિકી સૈનિકો માનસિક આઘાતનો શિકાર બન્યા છે જેની મનોચિકિત્સક સારવાર કરવામાં આવી રહી છે. અમેરિકી રક્ષા વિભાગે મંગળવારના રોજ વાતની જાણકારી આપી છે.

              રક્ષા વિભાગે વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અત્યારસુધીમાં 109 સૈનિકોમાં માનસિક વિકારની જાણ થઇ છે જે પહેલા રિપોર્ટ મુજબ 45 ટકા વધારે છે તેમાંથી 76ની સારવાર કરવામાં આવી ચુકી છે તેમજ બધાને ફરજ પર લઇ જવામાં આવ્યા છે. અન્ય 27ની હજુ સારવાર ચાલી રહી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:19 pm IST)