News of Tuesday, 10th December 2019
૩૮ લોકોને લઇ અંટાર્કટિકા જઇ રહેલ ચિલી વાયુસેનાનું કાર્ગોપ્લેન લાપતા
ચિલીની વાયુસેનાએ સોમવારના બતાવ્યુ કે એના બેસથી અંટાર્કટિકા માટે ઉડેલ એક કાર્ગો પલેન લાપતા થઇ ગયુ છે. જેની શોધ ચાલી રહી છે.
ર૧ યાત્રિઓ અને ક્રુ ના ૧૭ લોકોને લઇ ઉડેલ હર્કુલસ સી-૧૩૦ ના પુંટા અરેનાઝમા સંપર્ક તુટયો છે. વિમાન અંટાર્કટિકા બેસમાં આવેલ ચિલી સંસ્થાનો સામાન ઉપલબ્ધ કરાવવા જઇ રહ્યું હતુ.
(10:56 pm IST)