દેશ-વિદેશ
News of Sunday, 10th March 2019

કોલંબિયામાં વિમાન દુર્ઘટનામાં મેયર પરિવાર સહિત ૧રના મોત

બોગોટા: કાલંબીયામાં અેક વિમાનમાં અચાનક આગ લાગવાથી વિમાનમાં મુસાફરી કરી રહેલા મેયર ડોરિઅવિલેગાસ તથા તેમના પરિવાર સહિત ૧ર લોકોના મૃત્યુ નિપજયા છે.

મળતી માહિતી મુજબ કોલંબિયામાં શનિવારે એક ભીષણ વિમાન અકસ્માતમાં 12 લોકોના મોત થયા. મોડી રાતે નાગરિક સુરક્ષા કટોકટી સેવા તરફથી કરાયેલી ટ્વિટ મુજબ ધ ડગલાસ ડીસી 3 વિમાન, દેશની મધ્ય પૂર્વમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ વિમાનમાં બે એન્જિન હતાં. અકસ્માતમાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

ગુઆવિયારે-વિલ્લાવિસેન્સિયો વચ્ચે ઉડી રહ્યું હતું વિમાન

તેમણે એ પણ જણાવ્યું કે આ વિમાન જ્યારે સાન જોશ દેલ ગુઆવિયારે અને વિલ્લાવિસેન્સિયો વચ્ચે ઉડી રહ્યું હતું ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું. છેલ્લે મળતી માહિતી મુજબ આ મામલે હજુ કોઈ અધિકારીએ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી.

(12:17 pm IST)