દેશ-વિદેશ
News of Friday, 10th January 2020

નાઇજીરિયામાં બંદૂકધારીઓના હુમલામાં 12 લોકોના મૃત્યુ: તપાસ અભિયાન શરૂ

નવી દિલ્હી: મધ્ય નાઈજિરીયાના એક ગામમાં બંદૂકધારીઓના હુમલામાં 12 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચી છે સ્થાનિક પોલીસ અધિકારી દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મધ્ય નાઇજીરિયામાં કોબુન જિલ્લાના કુલબેન ગામમાં એક હુમલામાં હજુ સુધી કોઈ પણ શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરવામાં આવી નથી. આ મામલે પોલીસે તપાસ અભિયાન શરૂ કરી દીધું હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(6:21 pm IST)