દેશ-વિદેશ
News of Friday, 10th January 2020

ડુંગળી કાપવાના આ ઉપાય થી હવે આંખમાં નહિં આવે આસું !

. ડુંગળીનો શ્રેષ્ઠ ઉપયોગ કિચનમાં આવે છે. આ બધા વ્યંજનો ને સ્વાદિષ્ટ બનાવે છે. આ તીવ્ર ગંઘક ધરાવતો તેજ પદાર્થ છે. તેથી જ્યારે આને કાપવામાં આવે ત્યારે લોકોને રડાવે પણ છે.

. આજે આને કાપવાની એવી રીત વિષે જણાવવાના છીએ જે તમારી આંખમાંથી આંસુ નહિં લાવે. ડુંગળીમાં એક એવું રસાયણ હોય છે જેનું નામ સાઈન-પ્રોપેન્થીયલ-એસ-ઓકસાઈડ છે. આ રસાયણ આપણી આંખોમાં લેક્રાઈમલ ગ્લેન્ડને ઉત્તેજિત કરે છે. આનાથી આંખોમાં આંસુ આવે છે.

. આનાથી બચવા માટે એક ડુંગળી લઈ તેને પાણીની અંદર કાપવી (એક પ્લેટમાં પાણી નાખી તેની અંદર ડુંગળી મૂકી) આમ કરવાથી આમાં રહેલ સલ્ફયુરિક કમ્પાઉન્ડ તમારી આંખમાં નહિં પહોચે.

. ઠંડી ઓનિયનથી આંખમાંથી આંસુ નહિં આવે. ડુંગળીને કાપતા પહેલા ફ્રીઝરમાં ૧૦ થી ૧૫ મિનીટ માટે મૂકી ઠંડી થવા દેવી. આનાથી હવામાં મળતા એસીડ એન્ઝાઈમની માત્રા ઓછી થાય છે અને આને કાપતા સમયે આંખમાં બળતરા પણ નહિં થાય.

. આ સિવાય ડુંગળી કાપતા પહેલા ચાકુ પર લીંબુનો રસ પણ તમે ઘસી શકો છો. આનાથી આંસુ નહિં નીકળે.

. ડુંગળી કાપતા સમયે પોતાના મોઢામાં એક ટુકડો બ્રેડનો રાખી ચાવવો. આ ટુકડાને ધીરે-ધીરે ચાવવો. આનાથી આંખમાં આંસુ નહિ નીકળે. તમે મીંટ ગમ ને પણ ચાવી શકો છો.

. જ્યારે તમે ડુંગળીને કાપો ત્યારે તેની બાજુમાં મીણબત્તીને સળગાવીને રાખો. ડુંગળી મંથી જે ગેસ નીકળે તેને મીણબત્તીની વાઈટ ખેંચી લે છે. તેથી આનાથી પણ આંખમાં પાણી નહિ નીકળે.

 

(12:57 pm IST)