પાકિસ્તાનની અદાલતમાં કરવામાં આવી વિચિત્ર પ્રકારની અરજી:કોરોના વાયરસને ભગાડવા માંગવામાં આવી ચરસ પીવાની મંજૂરી
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) માં કહેવાય છે કે કોરોના (Corona Virus) ને જો ભગાડવો હોય તો ચરસ પીવી પડશે. આ માટે કાયદેસર રીતે કોર્ટમાં અપીલ પણ કરાઈ છે અને નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાનના લોકોને ચરસ પીવાની મંજૂરી આપવામાં આવે જેથી કરીને જનતા કોરોનાને ભગાડે. હવે જોવાનું એ રહેશે કે કોરોના અને ચરસની જંગમા કોણ જીતે છે.
પાકિસ્તાન કોરોનાને લઈને કેટલું ગંભીર છે તેનું ઉદાહરણ તો આ અહેવાલથી જાણી શકાય છે. પાકિસ્તાનની કોર્ટમાં અપીલ કરાઈ છે કે જો કોરોના વાયરસની સારવાર કરવી હોય તો સરકારે 10 ગ્રામ ચરસ પીવાની અને એટલી જ ચરસ પાસે રાખવાની મંજૂરી આપવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો કોરોનાથી બચવા અને ચરસને બચાવવા માટે કોર્ટમાં અરજી કરાઈ છે કે ચરસને કાયદેસર માન્યતા આપવામાં આવે.