દેશ-વિદેશ
News of Wednesday, 9th October 2019

જાણો, ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ વિષે !

સામાન્ય રીતે આપણે ખાદ્યપદાર્થોનું સેવન કરતા તો હોઈએ છીએ પણ તેમાં કરવામાં આવતી ભેળસેળ વિષે આપણે અજાણ્યા હોઈએ છીએ. આજે અમે તમને ફૂડમાં થતી ભેળસેળ વિષે જણાવવાના છીએ જેનાથી તમે નીચે દર્શાવવામાં આવેલ ટીપ્સથી ચેક કરી શકરો કે વસ્તુમાં ભેળસેળ  કરવામાં આવી છે અને શેમાં નહિં ?

ચા : સફેદ કાગળ પર રગડવાથી જો ફિલ્ટર પપેર 'ગુલાબી દાગ' નું થાય તો સમજવું કે ભેળસેળ છે.

હિંગ : હિંગને પાણીમાં ભેળવી અને થોડી વાર માટે અલગ રાખી દેવામાં ભેળસેળ હશે (સોપ, સ્ટોન અને માટી) તો તળિયે જમા થશે.

શાકર : ગ્લાસમાં શાકર ૧૦ ગ્રામ રાખવી, બે મિનીટ બાદ તળિયે પાવડર બેસે તો સમજવું કે 'ચોક પાવડર' ની ભેળસેળ છે.

મરચાં : ૨ ગ્રામ મરચાંને પાણીના ગ્લાસમાં એસીટોન 5 ml નાખી રાખતા તરત લાલ રંગ દેખાય તો 'ઈંટનો ભૂકો' સમજવું.

મધ : મધમાં રૂ ભીંનું કરવું અને બાળી જાય તો શુદ્ધ સમજવું. 'શાકર' ની ભેળસેળ મધમાં હશે તો બળતી વખતે તડતડ અવાજ આવશે.

તુવેર દાળ-મગ દાળ :  હુંફાળા પાણીમાં દાળ ભીંજળી ત્યારબાદ પાણી નીતારી લેવું. તેમાં થોડા  ટીપા hcl ના (થોડા ટીપા ૨-૫) નાખવા. જો રંગ 'ગુલાબી થાય' તો રંગની ભેળસેળ સમજવી.

હળદર : થોડી હળદર લઈ hcl ઉમેરતા (થોડા ટીપા ૨-૫) રીંગણી કલર થાય તો સમજવું 'રંગની ભેળસેળ' છે.

મરી : મરીના દાણામાં આલ્કોહોલ ભેળવવાથી જો 'પપૈયાના બિય' હશે તો નીચે બેસી જશે અને મરી તે બધા ઉપર તરશે.

દૂધ : લેકટોમીટર દ્વારા ૩૦ યુનિટ ઉપર બતાવે એટલે પાણી અથવા પાવડરની ભેળસેળ સમજવી. યુરીયાની તપાસ 5 ml દૂધમાં બ્રોમો મીથાઈલ નાખી મિનીટ બાદ રંગ ભૂરો બતાવે એટલે ભેળસેળ સમજવું અથવા આયોડીનથી પણ રંગ ભૂરો થાય તો પણ ભેળસેળ સમજવી.

આઈસ્ક્રીમ : આઈસ્ક્રીમમાં લીંબુનો રસ ભેળવો જો 'વોશિંગ પાવડર'હશે થો ફીણ થવા લાગશે. આઈસ્ક્રીમમાં 'સેકરીન' હશે તો સ્વાદ શરૂઆતમાં મીઠો અને ત્યારબાદ કડવો લાગશે.

(9:55 am IST)