દેશ-વિદેશ
News of Monday, 9th September 2019

બ્રિટિશ એયરવેઝના 4 હજાર પાયલોટ ઉતર્યા હડતાળ પર: 1500થી વધારે ફ્લાઇટને થશે અસર

નવી દિલ્હી: બ્રિટિશ એયરવેઝના લગભગ 4 હજાર પાયલોટ હડતાળ પર ચાલ્યા ગયા છે આ કારણોસર ભારતથી બ્રિટેન જનાર ઘણીબધી ફ્લાઇટને રદ કરવામાં આવી છે. બ્રિટિશ એયરવેજના તરફથી મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે યાત્રીઓને એરપોર્ટ પર ન જવા માટેની સલાહ આપવામાં આવી છે. 

        એયરવેઝનું કહેવું છે કે 100 વર્ષથી ઇતિહાસમાં સૌથી મોટી હડતાળ  સોમવારના રોજ થી શરૂ કરવામાં આવી છે આ કારણે લગભગ  1500 થી પણ વધારે ફ્લાઇટને રદ કરવાની ઘોષણા કરવામાં આવી છે.

(6:23 pm IST)