સાત કલાકની ઊંઘ લેવાથી હાર્ટમાં લોહી લાવવા લઇ જવાનું કામ કરતી લોહીની નળીઓ યંગ રહે
ન્યુયોર્ક તા.૯: ઊંઘ પુરતી ન મળે તો એની અસર શરીરના એકેએક અંગ પર પડે છે. આપણે માનીએ છીએ કે ઊંઘ પૂરી ન થવાથી માત્ર મગજ જ ડલ રહે છે, પરંતુ અનિદ્રાની અસર હ્રદય પર પણ પડે છે. અમેરિકાના જયોર્જિયામાં આવેલી એમોરી યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે કે ઓછા કલાકની ઊંઘ મળતી હોય તો એનાથી હ્યદયની એજ વધી જયા છે. મતલબ કે હ્રદય જલદી ઘરડું થઇ જાય છે. આનું કારણ એ છે કે અનિદ્રાને કારણે હ્યદયમાં લોહી લાવવા-લઇ જવાનું કામ કરતી રકતવાહિનીઓ પર ખૂબ સ્ટ્રેસ આવે છે. શોકકર્તાઓએ નોંધ્યું હતું કે જે લોકો નિયમિતપણે સાત કલાકથી ઓછી ઊંધ લેતા હોય છે તેમના હ્યદયના સ્નાયુઓ નબળા પડે છે અને એની સાથે સંકળાયેલી રકતવાહીનીઓ પણ ઓછી ફલેકિસબલ હોય છે. જેમ-જેમ ઊંઘના કલાકો ઘટતા જાય છે એમ-એમ હદયનું ડેમેજ હોવાની સંભાવનામાં પણ વધારો થાય છે.