દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

આગની જ્વાળા હંમેશા ઉપર જ કેમ જાય છે?

મીણબતીની જ્યોત કે અન્ય ભયંકર આગ લાગે ત્યારે આગની જ્વાળા ઉપરની તરફ જ જાય છે. કયારેય તમને એવો પ્રશ્ન થયો કે આગની જ્વાળા ઉપરની તરફ જ કેમ જાય છે? જ્યારે કોઈ વસ્તુ અથવા પદાર્થમાં આગ લાગે છે, તો ત્યારે ઓકિસજનની સાથે અન્ય ગેસ પણ ઉત્સર્જીત થાય છે, જે ઓકિસજનથી હળવા હોય છે. તેમાં ધુમાડાનો પણ સમાવેશ થાય છે. આ બધા ગેસ આગની જ્વાળાને ઉપર તરફ લઈ જાય છે. સાદી ભાષામાં કહીએ તો આ હળવા ગેસો ઉપરની તરફ જવાને કારણે જ આગની જ્વાળા પણ ઉપર જાય છે.

(2:21 pm IST)