દેશ-વિદેશ
News of Friday, 8th November 2019

સોમાલિયામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતા અત્યારસુધીમાં 25 લોકોનો ભોગ લેવાયો: 47 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સોમાલિયામાં ભારે વરસાદના કારણે આવેલ પુરમાં ઓછામાં ઓછા 25 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ અન્ય 47ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

                    ડબ્લ્યુએચઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દેશના ઘણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે બે લાખ 70 હજારથી વધારે લોકોને સ્થળાંતર કરવાની નોબત આવી છે તેમજ તેમની આજીવિકા અને રહેણાંકને પણ નુકશાન પહોંચ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:31 pm IST)