પીઓકેમાં સેનાએ કરી મોટી કાર્યવાહી:પાકિસ્તાનને થઇ શકે છે મોટું નુકશાન
નવી દિલ્હી: સતત યુદ્ધ વિરામનો ભંગ કરતા પાકીસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપતા પાકીસ્તાનને ભારે નુકશાન થયું હતું. શુક્રવારે જયારે પાકિસ્તાને તંગધાર સેકટરથી પાકિસ્તાને સંઘર્ષ વિરામનો ભંગ કર્યો ત્યારે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પીઓકેમાં લોન્ચ પેડસને નુકશાની બનાવી હુમલા કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુરક્ષા એજન્સીઓએ કેટલાક દિવસ પહેલા ચેતવણી આપી હતી કે એલઓસીને પેલે પાર લગભગ 300 આતંકવાદી ઘૂસણખોરી માટે તૈયાર બેઠા છે. આ આતંકીઓ કાશ્મીર ખીણના ઉરી, કુપવાડા, બાંદીપોરા, ગુરેજ અને જમ્મુના સંબા અને રાજૌરી- પુંછ સાથે જોડાયેલી સીમા પર મોજૂદ છે. ઈનપુટમાંકહેવામાં આવ્યું છે કે આ આતંકીઓનો મનસુબો સ્વતંત્રતા દિન પુર્વે હુમલા કરવાનો છે. હાલના દિવસોમાં ઘૂસણખોરી કરતા આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.