દેશ-વિદેશ
News of Thursday, 8th April 2021

શ્રીલંકાએ આતંકી સંગઠનો સહીત 11 ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધા

નવી દિલ્હી: શ્રીલંકાએ આતંકી સંગઠનો ઇસ્લામિક સ્ટેટ (આઇએસઆઇએસ) અને અલ કાયદા સહિત અન્ય ૧૧ ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠનો પર પ્રતિબંધ મુકી દીધા છે. કટ્ટરવાદી પ્રવૃત્તિઓ સાથે આ સંગઠનોના જોડાણ બદલ આ પગલું ભરવામાં આવ્યું છે. એટર્ની જનરલ ડાપ્પુલા ડી લિવેરીની ઓફિસમાંથી એક નિવેદનમાં જણાવાયું છે કે આ નિર્ણય તાત્કાલિક ધોરણે અમલી બનશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં ઇસ્ટર સનડેના દિવસે થયેલા આંતકી હુમલા બાદ શ્રીલંકાએ આવા ઇસ્લામિક સંગઠનો પર તેની તવાઇ વધારી છે. એ ઘટના બાદ તેણે એક પછી એક આવા સંગઠનો પર પ્રતિબંધ મુકવાની શરૂઆત કરી હતી. આ મામલે પૂર્વ પ્રમુખ મૈથરિપલા સિરિસેનના અધ્યક્ષપદ હેઠળ એક તપાસ પેનલની રચના કરાઇ હતી. તેણે જ આવા મુસ્લિમ કટ્ટરપંથી સંગઠનો પર પ્રતિબંધની ભલામણ કરી હતી.

(5:29 pm IST)