દેશ-વિદેશ
News of Friday, 7th December 2018

નાઇજીરિયામાં બદમાશોનો હુમલો: 16 પોલીસકર્મીના મોત

નવી દિલ્હી: નાઈજિરીયાની સરકારે 29 નવેમ્બરના રોજ પોલીસ કર્મીઓ પર બદમાશો દ્વારા કરવામાં આવેલ હુમલામાં 16 જવાનો મોતને ભેટ્યા હોવાની પુષ્ટિ કરી છે.આ ઘટના જામફરા રાજ્યમાં બની હોવાની વાત કરી છે.અધિકારીક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં બદમાશોએ 20 અન્ય પોલીસ અધિકારીઓનું પણ અપહરણ કરી લીધું છે અને તેની તપાસ પણ શરૂ છે.પોલીસ અને સુરક્ષા બળોએ તેની શોધનું અભિયાન શરૂ કરી દીધું છે.

 

(5:46 pm IST)