દેશ-વિદેશ
News of Friday, 7th September 2018

તમને પણ વારંવાર ઓડકાર આવે છે?

જો તમને વારંવાર ઓડકાર આવે છે તો તમને અસહજ મહેસૂસ થાય છે અને તમે કંઈ કરી શકતા નથી. તો જાણી લો ઉપાય જેની મદદથી તમે તમારી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

 જો તમને અવાર-નવાર ઓડકાર આવે છે, તો ભોજન કર્યા બાદ વરીયાળી ચાવો.

 ભોજન કર્યા બાદ એલચી ચાવવાથી પણ ઘણો ફાયદો થાય છે. તેને તમે સરળતાથી ગમે ત્યાં સાથે લઈ જઈ શકો છો. તેનાથી ઓડકારની સાથે મોંમાં આવતી દુર્ગંધથી પણ છૂટકારો મળે છે.

 એક ચમચી સફરજનનો ગર (સિરકે) અને લીંબુના રસને એક ગ્લાસ પાણીમાં મિકસ કરી ભોજન પહેલા પીવાથી ઘણો ફાયદો થાય છે.

(10:00 am IST)