દેશ-વિદેશ
News of Friday, 7th June 2019

નેપાળમાં વાવાઝોડાના કારણે એકનું મૃત્યુ:37ઘાયલ

નવી દિલ્હી: નેપાળમાં ગુરુવારના રોજ વાવાઝોડાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તેમજ અન્ય 37 લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે નેપાળના કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવ પ્રેમ કુમાર રાયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કંચનપુર જિલ્લામાં રાત્રીના આંઠ વાગ્યાની આસપાસ આવેલ વાવાઝોડાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તેમજ અન્ય 37 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

(5:45 pm IST)