News of Thursday, 7th June 2018
યમનમાં નાવડી ઉંધી પડતા 46 ઈથોપિયનના મોત
નવી દિલ્હી: માનવ તસ્કરોની યમન જઈ રહેલ નવાળી મધદરિયે ઉંધી પડી જતા તેમાં સવાર 46 ઈથિપિયન નાગરિકોના મોત નિપજ્યા છે. અને 16 લોકો હજુ ગુમ છે. સંયુક્ત રાષ્ટ્રની વિદેશ મંત્રાલયથી આ વાતની માહિતી આપવામાં આવી છે.
સોમાલિયાના બોસસો કિનારેથી માનવ તસ્કરોની નાવડીમાં 100 પ્રવસીઓ સવાર હતા જેમાં 83 પુરુષો અને 17 મહિલાઓ હતી. આ તમામ પ્રવાસીઓ કામની શોધમાં યમન અને ખાદી દેશો તરફ જઈ રહ્યા હતા. આ દુર્ઘટનાની વિદેશ મંત્રાલય દ્વારા ઘણી નિંદા કરવામાં આવી રહી છે.
(9:00 pm IST)