દેશ-વિદેશ
News of Tuesday, 7th January 2020

પેરુમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 16 લોકોના મૃત્યુથી અરેરાટી: 40 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પેરુના દક્ષિણી વિસ્તારમાં સોમવારના રોજ એક યાત્રી બસ અન્ય વાહનો સાથે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 16 લોકોના મૃત્યુથી અરેરાટી મચી જવા પામી છે તેમજ 40થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

                  સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમયાનુસાર રાત્રે 12 વાગ્યાને 41 મિનિટની આસપાસ દુર્ઘટના સર્જાઈ હતી. બસ લિમા શહેરથી અરેકવિપની તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.

(6:37 pm IST)