દેશ-વિદેશ
News of Monday, 7th January 2019

પગના સોજા દૂર કરશે આ ચમત્કારી નુસ્ખો

આપણે જોઈએ છીએ કે મોટાભાગે લોકોને પગમાં સોજા આવી જાય છે. જેને કારણે ખૂબ તકલીફ થાય છે. સોજો થવગા પાછડ અનેક કારણ હોય છે. જેમ કે અનેકવાર ઝડપથી ચાલતા પગ મચકાઈ જાય છે કે પછી કોઈ બીમારીના કારણે પણ આવુ થઈ શકે છે. અનેકવાર ગર્ભાવસ્થામાં પણ આ પરેશાની થઈ જાય છે. પણ તેનાથી મુકિત મેળવવા માટે તમે આ ઉપયોગ અપનાવી શકો છો.

 સોજાવાળા સ્થાન પર સૌ પહેલા બરફ ઘસો. પણ બરફ ડાયરેકટ સોજા પર ન રગડશો. તે માટે એક કપડા પર બરફના ટુકડા બાંધી લો અને દુખાવા વાળા સ્થાન પર લગાવો આવુ ઓછામાં ઓછુ ૫થી૧૦ મિનિટ સુધી કરો.

 જે પગ પર સોજો હોય તેને સૂતા કે પછી બેઠા બેઠા તકિયના ઉપર રાખો. પગ ઉપર ઉઠાવવાથી સોજાવાળા સ્થાન પર લોહી જમા નહિ થાય. તેમના પર ભાર પણ નહિં પડે. જે કારણે સોજો ઓછો થવા માંડશે.

 હળદર તમારા સોજા અને તેનાથી થનારા દુખાવાથી છુટકારો અપાવવામાં  અસરદાર છે. આ માટે બે ચમચી હળદરમાં એક ચમચી નારિયળનુ તેલ મિકસ કરીને પેસ્ટ બનાવી લો અને સોજાવાળા સ્થાન પર લગાવો. જ્યારે આ સૂકાય જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઈ લો. દરરોજ બે થી ત્રણવાર આવુ કરવાથી તમને દુખાવો અને સોજામાં રાહત મળશે. આ એક ચમત્કારિક નુસ્ખો છે.

(10:02 am IST)