દેશ-વિદેશ
News of Wednesday, 6th November 2019

થાઈલેંડમાં પોલીસ સ્ટેશન પર વિદ્રોહીઓનો હુમલો: 15 લોકોના મૃત્યુ: અન્ય ત્રણ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: થાઈલેંડના મુઆંગ જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર વિદ્રોહીઓના હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મૃત્યુ થયા છે તેમજ અન્ય ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. બૈકોક પોસ્ટના અધિકારીઓએ હુમલો કરનારની સંખ્યા 10 હોવાનું જણાવ્યું છે.

                         મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિદ્રોહીઓ રબરની ખેતી પાસેથી પસાર થતા હતા ત્યારે સુરક્ષા ચોકી પર પહોંચીને ભારતીય સમયાનુસાર રાતના નવ વાગ્યાની આસપાસ ગોળીબારી કરી દીધી હતી ઘટનામાં 11 લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો હતો જયારે અન્ય ચારે સારવાર દરમ્યાન મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે ત્રણ ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:08 pm IST)