દેશ-વિદેશ
News of Friday, 6th September 2019

વિયતનામમાં પૂર અને ભુસખ્લનના કારણે પાંચ મોતને ભેટ્યા: ત્રણની શોધખોળ શરૂ

નવી દિલ્હી: વિયતનામમાં છેલ્લા થોડાક દિવસોથી પડી રહેલ વરસાદના કારણે આવેલ પૂર અને ભૂસખલનના કારણોસર પાંચ લોકો મોતને ભેટ્યા છે  તેમજ હજુ સુધી ત્રણ લાપતા હોવાની માહિતી મળી રહી છે. દેશના રાષ્ટ્રીય આપદા પ્રબંધન વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગુરુવારના   

 સાંજના સમયે આવેલ પૂરના કારણોસર પાંચ લોકો મોતને ભેટ્યા છે.

    દુર્ઘટનામાં બે અલગ અલગ પ્રાંતના લોકો લાપતા થયા છે તેમને શોધવા માટેની તપાસ પોલીસ  અધિકારીઓ દ્વારા ચાલી રહી છે. ઘટનામાં ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(7:53 pm IST)