દેશ-વિદેશ
News of Wednesday, 6th June 2018

હવાઈઃ કિલાઉ જ્વાળામુખી હાહાકાર : લાવાને લીધે 159 ઘર બળીને ખાખ

હવાઇના બિગ આઇલેન્ડ પર સક્રિય થયેલા જ્વાળામુખી કિલાઉની રૌદ્રતા ઘટવાનું નામ નથી લઈ રહી. ત્યારે માહિતી મળી રહી છે કે, જ્વાળામુખીના લાવાના લીધે મંગળવારે રાત્રે 159 ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. 3 મેથી સક્રિય થયેલા જ્વાળામુખીમાં અત્યાર સુધી 117 ઘરો નષ્ટ થયા ચુક્યા હતા. ત્યાં મંગળવારે રાત્રે એકી સાથે 159 ઘરોનો નાશ થઈ ગયો હતો.   

(7:54 pm IST)