News of Monday, 6th May 2019
બ્રુનેઈમાં લગ્નેતર સંબંધોને કારણે કોઈને મૃત્યુદંડ નહીં : ગે સેક્સ પર પથ્થર મારીને જીવ લેવામાં નહીં આવે
સુલતાન હસનલ બોલ્કિયાહે પોતાના જ એક આદેશને બદલ્યો
બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાહે પોતાના જ એક આદેશને બદલતા કહ્યું છે કે દેશમાં સજાતીય તેમજ લગ્નેતર સંબંધોને કારણે કોઈને મૃત્યુદંડ નહીં ફટકારાય.
આ વર્ષના એપ્રિલમાં બ્રુનેઈમાં સજાતીય અને અવૈધ સંબંધો રાખનારાઓ વિરુદ્ધ મૃત્યુદંડની જોગવાઈ કરાઈ હતી. જેની વિશ્વ આખામાં ટીકા થઈ હતી.
એપ્રિલમાં અગ્નિ એશિયાના આ દેશમાં નવા ઇસ્લામિક કાયદાની જાહેરાત કરવામાં આવી હતી.
જેમાં સજાતીય અને અવૈધ સંબંધો બદલ લોકોને પથ્થર મારીને મારી નાખવાની સજા આપવાની જોગવાઈ કરાઈ હતી.
(11:15 am IST)