બ્રિટન જનાર ભારતીયોને મળી સૌથી મોટી રાહત:10 દિવસ સુધી નહીં રહેવું પડે ક્વોરેન્ટાઇન
નવી દિલ્હી: યુકેએ યુએઈ,ભારત અને અન્યને આંતરરાષ્ટ્ર્રીય મુસાફરીમાટે લાલ સૂચિમાંથી એમ્બર લીસ્ટમાં ખસેડા છે, જેનો અર્થ છે કે વિદેશી મુસાફરો કે જેઓ કોવિડ -૧૯સામે સંપૂર્ણ રસીકરણથી સુરક્ષિત છે તેમને હવે ૧૦ દિવસની હોટલ કવોરેન્ટાઈન કરવામાં આવશે નહીં. આ નવા નિયમની જાહેરાત કરતા ટ્રાન્સપોર્ટ વિભાગે કહ્યું કે આ ફેરફાર રવિવારે સ્થાનિક સમય સવારે ૪ વાગ્યાથી અમલમાં આવશે.
યુકેના પરિવહન સચિવે એક ટીટમાં કહ્યું કે યુએઈ, કતાર, ભારત અને બહેરીનને લાલ યાદીમાંથી અંબર યાદીમાં ખસેડવામાં આવશે. તમામ ફેરફારો ૮ ઓગસ્ટના રોજ સવારે ૪ વાગ્યાથી લાગુ થશે. જોકે, એમ્બર સૂચિમાંના દેશોના લોકો માટે આંતરરાષ્ટ્ર્રીય મુસાફરીના બે દિવસ પહેલા આરટીપીસીઆર પરીક્ષણ કરાવવું ફરજિયાત રહેશે. તે જ સમયે, જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી નથી, તેઓએ યાત્રા પહેલા ૧૦ દિવસ માટે સ્વ-સંસર્ગનિષેધ કરવો પડશે.