દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

પાકિસ્તાનમાં બે અલગ-અલગ ઘટનામાં 14 લોકોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી ખૈબર પખ્તુનખવામાં બે અલગ અલગ ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત નિપજ્યા છે પ્રથમ ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા છે અને 11 લોકોને ઇજા પહોંચી છે ત્યારે બીજી ઘટના આજે કોહાટ જિલ્લામાં સિંધુ રાજમાર્ગ પાસે ઝડપથી ફૂકાયેલ પવનના કારણે બની છે જેમાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે તેમજ મહિલા સહીત ઓછામાં ઓછા 8 લોકો દીવાલ ધરાશાયી થવાના કારણે મોતને ભેટ્યા છે.

(6:52 pm IST)