દેશ-વિદેશ
News of Saturday, 4th April 2020

જોર્જિયામાં કોરોના વાયરસના કારણોસર પ્રથમ મૃત્યુ

નવી દિલ્હી:જોર્જિયામાં આજ રોજ કોરોના વાયરસથી પ્રથમ મૃત્યુ નીપજ્યું છે 79 વર્ષીય એક મહિલા કોરોના વાયરસથી સંક્રમિત હતું જેમનું આજ રોજ મૃત્યુ નીપજ્યું છે જે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી  ત્યાંના ડોકટરે તેમના મૃત્યુના સમાચાર આપ્યા છે. આ દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી પ્રથમ મૃત્યુ છે. આ સિવાય પીડિતાને અન્ય બીમારી પણ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જોર્જિયામાં 157 લોકોમાં હજુ સુધી કોરોના વાયરસ સંક્રમણની માહિતીની જાણ થઇ રહી છે.

(5:43 pm IST)