News of Tuesday, 3rd December 2019
સીરિયામાં થયેલ હુમલામાં આંઠ બાળકોના મૃત્યુથી અરેરાટી: યુનિસેફ
નવી દિલ્હી: સીરિયાના ઉતરી વિસ્તારમાં થયેલ તાજેતરના હુમલામાં આંઠ બાળકોના મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે. ગયા મહિને પણ સીરિયામાં થયેલ હિંસામાં ઓછામાં ઓછા 34 બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ યુનિસેફના ક્ષેત્રીય નિર્દેશક ટેડ ચીયાબને આ વાતની જાણકારી અપાઈ છે.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં થયેલ આ હુમલામાં આંઠ બાળકોના મૃત્યુથી અરેરાટી મચી જવા પામી છે અને આ બાળકોની વય 15 વર્ષની હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:36 pm IST)