પાકિસ્તાને રાજૌરી જિલ્લા નજીક સૈનિકોના સ્થાન પર ગોળીબારી કરતા 6 સૈનિકો ઈજાગ્રસ્ત
નવી દિલ્હી : રાજૌરી જિલ્લાના સુદરબની સેક્ટરમાં પાકિસ્ની સૈનિકોએ ભારતીય સેનાની મુખ્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં છ જવાન જખમી થયા હતા. જોકે આ જવાનોને તરત ત્યાંથી લઈ જઈને રાજૌરી સેનાની હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ત્યાર બાદ ભારતીય જવાનોએ પણ જવાબ આપતાં ગોળીબાર કર્યો હતો. આશરે એક કલાકક આ ગોળીબાર ચાલ્યો હતો, જેમાં પાકિસ્તાની ચોકીઓને પણ ઘણું નુકસાન થયું હતું. ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ અચાનક ગોળીબાર બંધ કરી દીધો હતો.
પાકિસ્તાની રેન્જરોએ કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરના મનયારી-પાનસર ગામની વચ્ચે બુધવારે રાત્રે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને બિકા ચક ક્ષેત્રથી મોર્ટાર તથા નાનાં હથિયારોથી વડે હુમલો કર્યો હતો. જોકે ભારતી ક્ષેત્રમાં કોઈ નુકસાન નહોતું થયું. આ ગોળીબારનો BSFએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ક્ષેત્રમાં પાકિસ્તાન પાછલા સાત મહિનાથી સત ગોળીબાર કરી રહ્યું છે, જેનાથી ઘઉંના તૈયાર પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.