News of Friday, 3rd January 2020
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પૂરના કારણોસર મ્રુતકઆંક વધીને 43એ પહોંચ્યો
નવી દિલ્હી: ઈંડોનેશિયાની રાજધાની જકાર્તા અને તેમના નજીકના વિસ્તારમાં આવેલ પૂરના કારણોસર મ્રુતકઆંક વધીને 43એ પહોંચી ગયો છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈંડોનેશિયાઈ રાષ્ટ્રીય સેવા પ્રબંધન બોર્ડના હવાલાથી શુક્રવારના રોજ તેની જાણકારી મળી રહી છે.
જકાર્તામાં નવા વર્ષની શરૂઆતમાં ભારે વરસાદના કારણોસર નદીઓમાં પૂર આવી જતા આજુબાજુના લોકોને ખુબજ નુકશાન પહોંચ્યું હતું અને તેમને સ્થળાંતર કરવાની નોબત આવી હતી આ દુર્ઘટનામાં કુલ 43 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.
(6:22 pm IST)