દેશ-વિદેશ
News of Saturday, 1st May 2021

પૂર્વી ચીનના જિઆંગસુ પ્રાંતમાં વાવાઝોડાના કારણોસર 11 લોકોના મોત

નવી દિલ્હી:પૂર્વી ચીનના જિઆંગસુ પ્રાંતમાં જબરદસ્ત વાવાઝોડાના કારણોસર 11 લોકોના મોત નિપજ્યા છે તેમજ ડઝનો લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. આ જાણકારી પ્રાંતીય અધિકારીઓ દ્વારા આજ રોજ મળી છે. નાનચોન્ગ,હુઇયાન,યાનચેંગ,તાએજઉ અને સુકીયાન સાહિર શુક્રવારના રોજ રાત્રીના સમયે જિઆંગસુ પ્રાંતના થોડાક ભાગોમાં ઝડપથી વાવાઝોડું આવ્યું હતું અને ઝાડવા પણ પડી ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે. 11 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ ઈજાગ્રસ્ત 66 લોકોને સારવાર આપવામાં આવી રહી છે અને 3050 લોકોને સુરક્ષિત જગ્યા  પર સ્થળાંતર કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(5:22 pm IST)