Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

હેલ્થ કેર - ચોમાસામાં બીમારીઓથી બચવા શું ખાવુ શું ન ખાવુ ?

ચોમાસુ એટલે ભેજ.. પાણી અને કીચડ.

આ ઋતુમાં આપણી આસપાસની દરેક વસ્તુ પર કીટાણુઓ હોય છે. તેથી આપણે ચોમાસમાં જલ્દી બીમાર પડીએ છીએ. ચોમાસામાં શરીર સાથે ખાવાપીવાની વસ્તુઓને લઈને પણ ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે.

ચોમાસામાં ખૂબ જ હળવો ખોરાક ખાવો જોઈએ કારણ કે વાદળો અને ભેજને કારણે શરીરના દોષોમાં બેલેન્સ રહેતુ નથી.

સામાન્ય રીતે આપણે જ ખોરાક કાયમ લેતાં હોઇએ તે ખોરાક આ ઋતુમાં પણ લઇએ છીએ, પણ ઋતુના ફેરફારના કારણે, ખોરાકને બરાબર પચાવી ના શકવાને કારણે, પિત્તને ઝડપથી બગાડીને એસિડીટી, તાવ, માથાનો દુઃખાવો,  વગેરે સમસ્યાઓ થાય છે. માટે મોટાભાગના ધાર્મિક તહેવારો-ઉપવાસ - નિયમો આ સમયગાળામાં આપતાં હશે ને ?

શું ખાવુ જોઈએ ? . તાવ, શરદી, એસિડિટી જેવા રોગોથી બચવા માટે, તાજો બનાવેલો ખોરાક, ઘરનો ખોરાક લેવો.

. ખોરાકને ૧૦ ટકા ઓછો લેવાથી સરળતાથી પચી જાય છે. તાવ આવે ત્યારે હલકો પ્રવાહી ખોરાક અને સંપૂર્ણ શારીરિક અને માનસિક (લેપટોપ, મોબાઇલ, ફોનને દૂર રાખવા) આરામ અત્યંત જરૂરી છે.

. સિઝન પ્રમાણે મીઠાં ફળો, સફરજન, દાડમ વગેરે લેવાં.

શું ન ખાવુ જોઈએ ?  ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે અતિશય મસાલેદાર, ભારે મેંદા વાળો ખોરાક જેમ કે પાંવભાજી, પિઝા, રસગુલ્લા, દાબેલી વગેરે ન ખાવાં

- પાણી ઉકાળીને પીવું.

- આ ઋતુમાં બહારનું જવાનું પણ ટાળવુ જોઈએ.

(9:53 am IST)