Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ભારત પછી ઈરાનમાં વાયુ પ્રદૂષણનો કહેર: તમામ શિક્ષણ શાળાઓ બંધ કરવામાં આવી

નવી દિલ્હી: હાલમાં ભારતની રાજધાની દિલ્હીમાં હવામાં ભળી ગયેલ ઝેરના કારણોસર શાળાને ઘણાબધા સમય સુધી બંધ રાખવામાં આવી હતી અને ત્યારપછી હવે ઈરાનમાં પણ વાયુ પ્રદૂષણનો કહેર જોવા મળી રહ્યો છે.આ કારણોસર ત્યાંની તમામ શિક્ષણ શાળાઓને શનિવારના રોજ બંધ કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

            મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તમામ શિક્ષણ સંસ્થાનોને બંધ કરી દેવામાં આવી છે ભારે વાયુ પ્રદૂષણના કારણે તેહરાનના ડેપ્યુટી ગર્વર્નરે શુક્રવારના રોજ આ વાતની ઘોષણા કરી હોવાનું માલુમ પડી રહ્યું છે. લોકોને પાર્ક તેમજ સામુહિક ગતિવિધિમાં સામેલ ન થવાની પણ સલાહ આપવામાં આવી છે.

(5:54 pm IST)