Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

અલ્બાનિયામાં ભૂકંપના જટકાના કારણે મ્રુતકઆંક વધીને 46એ પહોંચ્યો

નવી દિલ્હી: અલ્બાનિયામાં ગયા મંગળવારના રોજ આવેલ જોરદાર ભૂકંપના ઝટકાના કારણોસર મ્રુતકઆંક વધીને 46 પહોંચી ગયો છે. દેશના રક્ષા મંત્રાલયે વાતની જાણકારી આપી છે.મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક લોકોમાં 22 લોકો દૂરેસ અને ક્રુઝથી હતા.ગયા મંગળવારના રોજ સવારના સમયે અલ્બાનિયામાં જોરદાર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા. રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 6.4ની આંકવામાં આવી હતી.

(6:53 pm IST)