Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

પાકિસ્તાનમાં રાજકપૂરની વડીલોપાર્જીત હવેલીને મ્યુઝીયમ બનાવવામા આવશેઃ પાક વિદેશ મંત્રી

ખૈબર પખ્તુનખ્વા(પાકીસ્તાન) માં આવેલ બોલિવુડ અભિનેતા રાજકપુરની વડીલોપાર્જીત હવેલીને મ્યુઝીયમમાં ફેરવવામાં આવશે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ કહ્યું ઋષિકપુર (રાજકપૂરના પુત્ર)એ કહ્યુ હતુ કે એમના વડીલોપાર્જીત મકાનને મ્યુઝીયમ અથવા સંસ્થા બનાવવી જોઇએ. આપ એમને જણાવી દો અમે એને મ્યુઝીયમ બનાવવાનો નિર્ણય કરી લીધો છે.

(10:16 pm IST)