Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પેરૂમાં પુરાતત્વવિદોને બલિ ચઢાવેલાં૨૨૭ બાળકોના અવશેષ મળ્યા

'અલ નીનો' બાદ બાળકોની બલી અપાઈ હોવાના સંકેત મળ્યા

લીમા, તા.૨૯: દક્ષિણ અમેરિકી દેશ પેરુમાં પુરાતત્વવિદોને પ્રાચીન ચિમૂ સંસ્કૃતિના કાળમાં બલિનો શિકાર બનાવાયેલાં ૨૨૭ બાળકોના અવશેષ મળ્યા છે. પુરાતત્વવિદ બલિ-સ્થળ હુઆંચાકોમાં ગત વર્ષથી ખોદકામ કરી રહ્યા હતાં. હુઆંચાકો લીમાના ઉત્ત્।રમાં આવેલું પર્યટક શહેર છે. હુઆંચાકો એ સ્થાન છે, જયાં ચિમૂ સંસ્કૃતિ દરમિયાન બાળકોની બલિ અપાતી હતી.

મુખ્ય પુરાતત્વવિદ્ ફેરન કૈસ્ટિલોએ મંગળવારે કહ્યું કે, આ જગ્યાથી એ બાળકોના સૌથી વધુ સંખ્યામાં અવશેષ મળ્યા છે, જેની બલિ અપાઈ હતી.

ફેરન કૈસ્ટિલોએ વધુમાં જણાવ્યું કે, ચિમૂ સંસ્કૃતિમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે કરાતા અનુષ્ઠાન અંતર્ગત બાળકોની બલિ અપાતી હતી. આ બાળકોની ઉંમર ૪ થી ૧૪ વર્ષની વચ્ચેની છે. તેમણે એમ પણ કહ્યું કે, 'અલ નીનો'બાદ એમની બલી અપાઈ હતી અને એવા સંકેત છે કે વરસાદની સિઝનમાં એમની હત્યા કરાઈ હતી.

'અલ નીનો'ના પ્રભાવથી પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સરફેસ ગરમ થઈ જાય છે, એનાથી પવનની દિશા અને ગતિમાં પરિવર્તન આવે છે અને એના કારણે મોસમનું ચક્ર પૂર્ણ રીતે પ્રભાવિત થાય છે. મોસમમાં પરિવર્તનના કારણે કેટલાય સ્થાનો પર દુષ્કાળ પડે છે તો કેટલાક સ્થાનો પર પૂરની પરિસ્થિતિ સર્જાય છે. બાળકોના મૃતદેહોના મોં સમુદ્ર તરફની દિશામાં છે. કેટલાકના શરીર પર હજુ પણ માસ અને વાળ છે.(૨૩.૪)

(9:58 am IST)