Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

નાઇજીરિયામાં હિંસાના કારણે 23ના મોત

નવી દિલ્હી: નાઈજિરિયાના ઉત્તરપશ્ચિમી પ્રાંત જામફરામાં થોડાક હથિયારબંધ લોકોએ એક ગામ પર હુમલો કર્યો હતો જેમાં 23 ગ્રામીણ લોકો મોતને ભેટ્યા છે પોલીસ અધિકારી  દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અન્ય ઘણા ગ્રામવાસીને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.

(5:46 pm IST)