Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

પાકિસ્તાનમાં રેલવે ક્રોસિંગ પર બસ-ટ્રેન વચ્ચે ગમખ્વાર અકસ્માત:30 લોકોના કમકમાટીભર્યા મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: પાકિસ્તાનની વ્યાપારી રાજધાની સમા કરાચીના સુક્કુર વિસ્તારમાં એક ટ્રેન બસ અકસ્માતમાં વીસ વ્યક્તિનાં મરણ થયાં હોવાના અહેવાલ મળ્યા હતા. એક માનવરહિત ફાટક ઓળંગવાની બસના ડ્રાઇવરની ઉતાવળમાં ટ્રેક પર ધસી આવતી ટ્રેન સાથે બસ અથડાઇ હતી અને ગંભીર અકસ્માત થયો હતો. મૃતકોમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ સમાવેશ થયો હતો. અકસ્માતનું સ્થળ કરાચીથી 500 કિલોમીટર દૂર આવેલું હતું.

સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે કેટલાય ઉતારુઓની ઇજા ગંભીર છે એ જોતાં મરણનો આંક વધી જવાની પૂરી શક્યતા છે. આ બસ કરાચીથી સરગોધા તરફ જઇ રહી હતી. આ અધિકારીએ કહ્યું હતું કે મરનારા કેટલાક તો એવી રીતે કચડાયાં હતાં કે તેમની ઓળખ કરવી મુશ્કેલ થઇ પડે એમ હતું.

(5:49 pm IST)