Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાંજના સુમારે થયેલ એક વિસ્ફોટમાં સાત લોકોના મોત:50થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે રવિવારે સાંજે એક વિસ્ફોટમાં સાત લોકોના મોત નીપજયા હતા અને 50 જેટલા ઘાયલ થતા તેમને હોસ્પીટલે ખસેડાયા હતા. જેમાં બેની હાલત ગંભીર છે. ઢાકાની મોધ બજાર વિસ્તારમાં એક ઈમારતમાં આ વિસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે જે ઈમારતમાં વિસ્ફોટ થયો તેમાં ફાસ્ટ ફૂડની એક દુકાન હતી. ખબરો મુજબ દુકાનમાં ગેસ પાઈપલાઈન કે ગેસ સીલીન્ડરમાં કોઈ ખરાબીનાં કારણે વિસ્ફોટનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વિસ્ફોટની ઘટનાને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

(6:06 pm IST)