Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

શનિવારે જન્‍મેલા જાતકો જીવનમાં ભલે ગમે તેવા કષ્‍ટ આવે તેઓ ક્યારેય પરિસ્થિતિઓને પોતાના ઉપર હાવી થવા દેતા નથી

જે રીતે વ્યક્તિના જીવનમાં નંબરનો એક પ્રભાવ હોય છે રીતે ચોક્કસ દિવસની પણ એક અસર હોય છે. દરેક દિવસનો એક પ્રભાવ જે તે દિવસે જન્મેલા વ્યક્તિમાં જોવા મળે છે. દિવસ અનુસાર વ્યક્તિના વ્યક્તિત્વને સમજવામાં તે ઉપયોગી કડી બની રહે છે.

 

હસમુખ પ્રવૃતિ હોય છે ઓળખ

શનિવારે જન્મેલા જાતકોના જીવનમાં ભલે ગમે તેવા કષ્ટ આવે તેઓ ક્યારેય પરિસ્થિતિઓને પોતાના પર હાવી થવા નથી દેતા. પોતાના હસમુખ સ્વભાવને કારણે તેઓ ક્યારેય વિચલિત થતા નથી. ઉપરાંત તેઓ ખૂબ ગંભીર અને ક્રોધી સ્વભાવના હોય છે. નાની-મોટી વાત પર તેઓ લડાઈ ઝઘડા કરે છે. પરંતુ પોતાના હાસ્યથી મોટામાં મોટી મુશ્કેલીઓ પણ ભૂલી જાય છે.

સમજી વિચારીને કરે છે નિર્ણય

શનિવારે જન્મેલા જાતકો પોતાના જીવનના દરેક નિર્ણય સમજી વિચારીને કરે છે. ક્યારે વધુ પડતા વિચારને કારણે કામ કરવાની ગતિ પણ ઘટી જાય છે. પરંતુ, વલણ તેમને મંઝિલ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

બિઝનેસ માઈન્ડેડ હોય છે

શનિવારે જન્મેલા જાતકો ખૂબ બુદ્ધિમાન હોય છે અને બિઝનેસ માઈન્ડેડ હોય છે. તેઓને દરેક વસ્તુ અને વિષયમાં પર્ફેક્ટ બનવું હોય છે. પૈસાની તેમને સારી રીતે કદર કરતા આવડે છે. તેઓ ભારે ભીડમાં પણ પોતાની અલગ ઓળખ ઊભી કરીને જીવનમાં આગળ વધે છે.

ખુબ ગુસ્સાવાળા હોય છે

જે લોકો શનિવારે જન્મેલા હોય છે તેઓ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. કારણોસર તેમના મિત્રોની સંખ્યા ખૂબ ઓછી હોય છે. તેઓ કોઈ પણ કાર્ય પૂર્ણ કરવામાં પૂરતો સમય લે છે. સ્વભાવ ખોટો નથી પણ જો પરિસ્થિતિ સાથ આપે તો અનૈતિક કાર્ય કરતા પણ અચકાતા નથી.

પ્રેમના મામલે હોય છે પર્ફેક્ટ

શનિવારે જન્મેલા જાતકો પ્રેમના મામલે શરમાળ હોય છે. તેમને કોઈ સંબંધની કે પ્રેમની અભિવ્યક્તિ કરવામાં થોડો સંકોચ થાય છે. સમસ્યાઓ રૂપ લાગે છે. પોતાના જીવનસાથીની પંસદગી કરવામાં પણ તેઓ સમય લે છે. પ્રેમના મામલે તેઓ દિલના સ્થાને દિમાગથી નિર્ણય લે છે.

કેરિયરના ક્ષેત્રમાં

શનિવારે જન્મેલા જાતકો પોતાના કાર્યને પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરે છે. ટેકનિકલ કે આઈટી ફિલ્ડમાં કાર્ય કરવું તેમના માટે કાયમી ધોરણે લાભ દાયક હોય છે. ઉપરાંત વ્યાપારમાં પણ તેમને સારી એવી સફળતા મળે છે.

(5:03 pm IST)