Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ડાયાબિટીસના દર્દી કારેલાના જયૂસનું કરે સેવનઃ સુગર લેવલ થઈ જશે નિયંત્રિત

કેટલાક ઘરેલૂ ઉપાયો અપનાવીને બ્‍લડ સુગર લેવલ નિયંત્રિત કરી શકાય છે

નવી દિલ્‍હી,તા. ૨૭: ડાયાબિટીસના દર્દીઓના બ્‍લડ સુગરમાં ઇન્‍સ્‍યુલિનનું ઉત્‍પાદન ઘટવાનું શરૂ થાય છે, જેના કારણે તેમના બ્‍લડ સુગરનું સ્‍તર વધે છે. આથી કહેવાય છે કે, શુગરના દર્દીઓએ ખાવાપીવાનું ખાસ ધ્‍યાન રાખવું જોઈએ. સાથે જ તેમણે બ્‍લડ સુગર લેવલને નિયમિત ચેક કરતા રહેવું જોઈએ. આવી સ્‍થિતિમાં ડોક્‍ટરની સલાહ મુજબ કેટલાક ઘરેલૂ ઉપાયો અપનાવીને બ્‍લડ સુગર લેવલ નિયંત્રિત કરી શકાય છે. જો તમે પણ શુગરની બીમારીથી પીડિત છો તો તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આ ઘરેલું નુસ્‍ખો કારેલાના જયૂસનો છે.
ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડાયટમાં કારેલાનો જયૂસ સામેલ કરવો જોઇએ. કારેલામાં ભરપૂર માત્રામાં એન્‍ટી-ઓક્‍સિડન્‍ટ્‍સ, વિટામિન એ અને પોટેશિયમ હોય છે. એક અભ્‍યાસ મુજબ, કારેલાના રસનું સેવન કરવાથી શરીરમાં ઇન્‍સ્‍યુલિનનું પ્રમાણ વધે છે. જે શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.
ડાયાબિટીસના દર્દીએ દરરોજ સવારે ખાલી પેટ એક ગ્‍લાસ કારેલાના રસનું સેવન કરવું જોઈએ. આ બ્‍લડ સુગર લેવલ નિયંત્રિત કરવાની સાથે બ્‍લડ પ્રેશરને પણ નિયંત્રિત કરવામાં મદદ કરશે.
શુગરના દર્દીઓ બ્‍લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે કેટલીક વસ્‍તુઓ મિક્‍સ કરીને પાવડર બનાવી શકે છે. આ પાવડર તેમને શુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ પાઉડરમાં તમે મેથીના દાણા, જાંબુના ગુઠલા, લીમડાના પાન અને સૂકા કારેલા લો. આ બધાને મિક્‍સરમાં પીસીને પાવડર બનાવો. આ પાવડરને દિવસમાં બે વખત એક નાની ચમચી પાણી સાથે લો. આ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

 

(10:17 am IST)