Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ઈસ્તાંબુલમાં ભૂકંપના જટકાના કારણોસર 30 લોકોને ગંભીર રીતે ઇજા: મકાન ક્ષતિગ્રસ્ત

નવી દિલ્હી: તુર્કીના ઈસ્તાંબુલમાં આવેલ ભૂકંપના જટકાના કારણે ઓછામાં ઓછા 30 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે અને 473 ભવન ક્ષતિગ્રસ્ત થયા છે. તુર્કીના ઉપ રાષ્ટ્રપતિ ફૂટ ઓક્ટાયે  શુક્રવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભૂકંપના જટકાના કારણે 30 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે તેમજ 473 ભવન ક્ષતિગ્રસ્ત થયા છે.

            યુરોપીય ભૂગર્ભ સેન્ટરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ તુર્કીમાં ગુરુવનરા રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા. તેમની તીવ્રતા 5.9ની આંકવામાં આવી છે અને ભૂકંપના જટકાના કારણે 34 નાગરિકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે જે પૈકી 24ને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા છે.

(7:43 pm IST)